testing
Quần short
મકરસંક્રાંતિના પવિત્ર પર્વે જ્યવેલનાથ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દેવળીયા દ્વારા બાળકો ને પતંગ વિતરણ કર્યું
= મકરસંક્રાંતિ ભારતનો અને ખાસ કરીને ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર છે આ દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાયછે અને નાના ભૂલકા થી માંડી મોટેરાઓ પણ પતંગો નો આનંદ માણેછે
ત્યારે આ દિવસે દાન પુણ્ય નું પણ મહત્વ હોય અમરેલી જિલ્લાના દેવળીયા ગામે ઉતરાયણના આ પાવન પર્વે જ્યવેલનાથ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દેવળીયા દ્વારા ગામની સ્કૂલના બાળકો ને પતંગ તેમજ બોલપેન આપવા માં આવતા બાળકો ના ચહેરા પર એક અનેરું સ્મિત લહેરાઈ ગયું હતું
તો સાથો સાથ જ્યવેલનાથ સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દેવળીયા દ્વારા બાળકોને સલાહ સાથે એક સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે રસ્તા પર પતંગ લૂંટવા દોડવું નહીં ધાબા પર પતંગ ચગાવતી વખતે પક્ષીઓ નું ધ્યાન રાખવું અને ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરવો નહીં





